સરકારી વિનયન કૉલેજ, ભાણવડ ખાતે જે વિદ્યાર્થીઓ કસોટી(ટેસ્ટ) અને સેમિનાર આપવામાં બાકી રહી ગયા હોઈ તેવા વિદ્યાર્થીઓ માટે જ નીચે દર્શાવ્યા મુજબ પુનઃ કસોટી અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી કોઈ પણ સંજોગોમાં પુનઃ કસોટી અને સેમિનાર લેવામાં આવશે નહીં. તો જેઓ આ પુનઃ કસોટી અને સેમિનારમાં હાજર રહેવા માંગતા હોઈ તેઓએ કયા કારણોસર કસોટી(ટેસ્ટ) અને સેમિનાર આપી નથી શકયા, તેના યોગ્ય ખુલાસા સાથે તા.૨૯/૯/૨૦૧૧ સુધીમાં કોલેજમાં અરજી આપવાની રહેશે.જેની અરજી મળશે નહીં તેવા વિદ્યાર્થીઓ પુનઃ કસોટી અને સેમિનારમાં બેસી નહીં શકે તેની ખાસ નોંધ લેવી.
પુનઃ કસોટી અને સેમિનારની તારીખ- ૦૩/૧૦/૨૦૧૧
(સોમવાર)
સમય- ૭-૩૦ સવારથી....
આચાર્યશ્રી,
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો